Posts

Showing posts from January, 2022

જીવન માં કરવા જેવી વાતો /વસ્તુ અને ન કરવા જેવી વાતો/ વસ્તુ.

Image
  જીવનમાં કરવા જેવી વાતો . 1. કોઈ પણ વિષયમાં, ભલે તમે સાચા હોવો કે ખોટા, મગજમારી અને કકળાટ ટાળો. તમારું માનસિક સ્વાસ્થ્ય અને મુડ જાળવવું. 2. અંગત સંબંધોમાં જૂઠું બોલવું નહીં. લોકો તમારા સારા ઇરાદા ને નહીં સમજી શકે. બોલવું જ પડે, તો એના જોખમોને પણ સમજવું, સ્વીકાર કરવું. 3. કોઈ ટીકા કરે તો બેપરવાહ રહેવું. છેલ્લે તમારું કામ જ બોલશે. 4. મિત્રો અને પરિવારના સદસ્યો સાથે અપેક્ષા રાખવી નહીં. અને વાતચીતમાં એમને શુ કર્યું, ના કર્યું એ વિવાદ ટાળવો. કોઈ પણ સંજોગમાં જીભની મીઠાશ ખોવી નહીં. તમે સાચા હોવો, અને તમારો પક્ષ મુકવો જરૂરી જ હોય તો લડાઈ બુદ્ધિથી કરવી. 5. કોઈ પણ લડાઈમાં કોઈને માનસિક પીડા થાય એવા શબ્દો નહીં, પણ સત્યની જીત થાય, અથવા તમારું હિત સચવાય એ પુરતું ધ્યાન રાખી પોઝિટિવ ડિબેટ કરવી. 6. માતાપિતા, ભાઈબહેન, મિત્રો અને સ્પાઉઝ ને હૂંફ અને સપોર્ટ મળે એવી ચર્ચા કરો. ટીકા તો આખું ગામ એમની કરતું હશે. 7. ગુસ્સે થયેલી વ્યક્તિ સાથે પ્રેમથી ચર્ચા કરો. એમને ખબર નથી હોતી કે ગુસ્સો એમનું ખૂબ નુકસાન કરે છે. 8. મનની શાંતિ ટકી રહે એવા સંવાદો કરો. ઈગો ટકી રહે એવા વિવાદો મનને ખૂબ હણે છે. 9. ધંધાક...

જીવનમાં સ્માર્ટફોનનો રોલ .

Image
   જીવનમાં સ્માર્ટફોનનો રોલ  The role of smartphones in life એક એવું ડિવાઇસ જેના દ્વારા હું ઇન્ટરનેટ એક્સેસ કરી શકું છુ. એક એવું ડિવાઇસ જેના લીધે મને  મિત્રો સાથે જોડાવાની તક મળે છે. એક એવું ડિવાઇસ જેના દ્વારા હું આંગળીઓના ખેલથી બધા જ સમાચારને વેરિફાય કરીને વાંચી શકું છુ. એક એવું ડિવાઇસ જેના દ્વારા હું નવી આવડત શીખી શકું છુ. સ્માર્ટફોન દ્વારા હું કોઈ ક્ષણનો ફોટો પાડીને એક યાદ તરીકે તેને સાચવી શકું છુ. સ્માર્ટફોનને કારણે લોકોના વિચાર જાણવા મળે છે, બધા સાથે કલાકો વાતો થઈ શકે છે. સ્માર્ટફોનને સ્માર્ટ રીતે ઉપયોગ કરવો જોઈએ, ના કે આપણે તેનું ગુલામ બનવાનું છે. હું જ્યારે મારા મિત્રો સાથે બેસું ત્યારે મે અવલોકન કર્યું છે કે બધા મોબાઇલમાં માથું નીચે કરીને સ્ક્રોલ કર્યા કરે છે. આ જોવાની મને થોડી મજા આવે છે કારણ કે મને શીખવા મળે છે કે કેવી રીતે સ્માર્ટફોન એક વ્યક્તિને ગુલામ બનાવી લે છે. શાંતિ પૂર્વક વાંચવા બદલ આભાર .

ઘરડા ગાડા વાળે.

Image
  ઘરડા ગાડા વાળે. ચીન દેશની એક વાર્તા યાદ આવે છે, સાચી કે ખોટી ખબર નહિ…. એકવાર રાજાએ ફતવો જારી કર્યો કે દેશના વૃદ્ધોને દેશની બહાર એક ટાપુ ઉપર મૂકી આવવા જેથી દેશમાં કોઈ બીમારી ના ફેલાય અને દેશમાં કદરૂપા લોકો ઘટી જાય અને વધુમા યુવાનો પોતાની શક્તિનો ઉપયોગ દેશની પ્રગતિ માટે કરે. એટલે આવા આદેશથી બધા ઘરમાંથી 60 અને તેનાથી ઉપરના લોકોને યુવાનોએ ટાપુ ઉપર છોડી દીધા. પછી શું કોઈ કોઈને કહેવાવાળું હતું નહીં….પુરુષોને મહિલાઓને કોઈ શરમ હતી નહિ…જેને જેમ ફાવે એમ ફરે, જેટલું મન થાય એટલું ખાય…અને પોતાની રીતે જ નિર્ણયો લેવા માંડયા. બસ રાજા અને પ્રજા ખુશ ખુશ થઈ ગયા. એવામાં વિદેશોથી આક્રમણ થયું. અને દેશના નાગરિકોને રાજાએ દેશની સેવા માટે લડવાનું કહયું. એક શરત મૂકી, જો એક ઢોલ બનાવીને આપો કે જે એની રીતે જ વાગતો હોય તો આ યુદ્ધ અટકી શકે અને વિદેશી પ્રજા પોતાના ઘરે ચાલી જશે. સમય માત્ર 15 દિવસ. આમ રાજાએ દેશમાં ફરમાન કર્યું જે આવો ઢોલ જે બનાવી શકે એને દેશનો પ્રધાન મંત્રી બનાવવામાં આવશે અને એના માટે મહેલ, દાસ દાસી અને ઘણા બધા ઉપહારો. આમ 10 દિવસ જાય પણ કોઈ આવતું નથી અંતે 14મા દિવસે એક યુવાન એવો ઢોલ બનાવી આવે છે જ...